Jai Jalaram!

Jai Jalaram, and welcome to the official website of Jalaram Mandir, Nagpur

શ્રી જલારામ સત્સંગ મંડળ ની સ્થાપના 1954 મા નાગપુર મા થયેલ.
દર શનિવારે પુજ્ય જલારામ બાપાના ભજન નો કાર્યક્રમ નાગપુર તથા આસપાસ ના ગામો મા આયોજિત થાય છે.
પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાના આશીર્વાદ અને પ્રેરણા થી 1975 મા લકડગંજ, ક્વેટા કોલોની, નાગપુર મા 10000 ફુટ નો પ્લોટ લેવામા આવેલ.
પ્લોટ ઉપર બાંધકામ કરી તલ મજલા (ground floor) પર પરમપુજ્ય સંત શ્રી હરિરામ બાપા દ્વારા દરીદ્ર નારાયણ ભોજન (સદાવ્રત) પ્રારંભ કરેલ, જે આજે પણ અવિરત ચાલુ છે.
પ્રતિ દિવસ 500-600 સાધુસંતો તથા દરીદ્ર નારાયણ ને બેસાડીને પ્રેમ અને શ્રદ્ધા પુર્વક દાળ, ભાત, શાક, રોટલી અને શીરા નો પ્રસાદ આપવામા આવે છે.
તેજ શ્રુંખલા મા 1980 મા પહલે માળે રામ દરબાર અને જલારામ બાપા તેમજ માતાજી, શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, રાધા ક્રુષ્ણ, ગણેશજી, ધેલા સોમનાથ શિવલીંગ તથા હનુમાનજી આ વિગ્રહો ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ.
પુજ્ય જલારામ બાપાના મુળમંત્ર ને પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાએ અપનાવી ભજન અને ભોજન ને ખ્યાલ મા રાખી સદાવ્રત સાથે હરે રામ હરે કૃષ્ણ ની અખંડ ધૂન તેમજ અખંડ જ્યોત છેલ્લા 38 વર્ષો થી અવિરત ચાલુ છે.
શ્રી જલારામ જયંતી મહોત્સવ (કાર્તિક સુદ ૭) પ્રસંગે લગભગ 12000 થી 15000 ભક્તો મહાપ્રસાદ (ભોજન) નો લાભ લે છે.
તેમજ મંદિર નો શ્રી વિગ્રહોના પાટોત્સવ પ્રતીવર્ષ ધુમધામથી મનાવવામા આવે છે (મીતી - ફાગણ વદ ૭).
તેમજ મંદિર મા સ્થાપીત શ્રી રામ દરબાર, શ્રી રાધા કૃષ્ણ, શ્રી અંબે માં, શ્રી હનુમાનજી, શ્રી શંકર ભગવાન, શ્રી વલ્લભાધીશ, શ્રી રણછોડરાય તથા યમુને મહારાણી ના ઉત્સવો મનાવવામા આવે છે.
તેમજ શ્રી જલારામ બાપા ના ભક્ત શ્રી હરીરામ બાપા (જસદણ/નાગપુર વાળા) ની જયંતી તેમજ પુણ્યતિથી પણ વિશેષ ઉજવવામાં આવે છે.
અન્નક્ષેત્ર: દર ગુરૂવારે સાંજે કઢી, ખિચડી, બુંદી અને ગાઠીયાનો પ્રસાદ નો લાભ ભક્તો લે છે.



Contact Us
Queta Colony, Lakad Ganj, Jalaram Mandir Marg, Lakad Ganj, Nagpur - 440008, Opposite Fire Brigade Station
Email us at: nagpur@jaijalaram.org
0712 2772711
